“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન

અમદાવાદ, 3જી મે, 2025: ભારતની અગ્રણી હેલ્થકેર સંસ્થામાંની એક નારાયણા હેલ્થનું એકમ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ‘‘દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની’’ થીમ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે હૃદયસ્પર્શી અને પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વિશેષ મહેમાનો, વરિષ્ઠ તબીબી વ્યાવસાયિકો, કોર્પોરેટ અગ્રણી, સામાજિક આગેવાનો અને પરિવારો સહિત 300થી વધુ લોકો એકત્ર થયા હતા અને તેઓ પેડિયાટ્રિક કાર્ડિયાક કેરના કાર્યક્રમથી પ્રભાવિત થયા હતા.

આ અવસરે અમદાવાદ મહાનગરપાલિકાનાં માનનીય મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર  શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. આ સાથે એકેડેમિક્સ ઓફ પેડિયાટ્રિક્સ, અમદાવાદ શાખાના ભૂતપૂર્વ પ્રમુખ ડો. ઉન્મેશ ઉપાધ્યાય માનનીય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ મહેમાનોના દીપ પ્રજ્જવલન સાથે શરૂ થયો હતો, જેમાં નારાયણા હોસ્પિટલ, અમદાવાદના ફેસિલિટી ડાયરેક્ટર શ્રી હેમંત ભટનાગર અને હોસ્પિટલના સિનિયર કાર્ડિયાક સાયન્સીસ ટીમમાંથી સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરેસિક સર્જન ડો. અતુલ મસલેકર અને સિનિયર કન્સલ્ટન્ટ પેડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડો. દિવ્યેશ સાદડીવાલા હાજર રહ્યા હતા.

દરેકનું સ્વાગત કરતાં શ્રી હેમંત ભટનાગરે મહેમાનોનો મનઃપૂર્વક આભાર માન્યો હતો અને સર્વ બાળકો માટે નારાયણા હોસ્પિટલ ઉચ્ચ ગુણવત્તાની, કિફાયતી કાર્ડિયાક સંભાળ આપતી રહેશે એવા ધ્યેય પર ભાર આપ્યો હતો. અમે ફક્ત હૃદયનો ઉપચાર કરતા નથી, પરંતુ અમે બાળપણનાં સપનાં અને ભવિષ્યને પુનઃસ્થાપિત કરીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું. આ સમયે તેમણે તાજેતરની જીવનદાયી સર્જરીઓની વાર્તા કરી હતી, જેમાંથી ઘણી સર્જરી હોસ્પિટલની સમર્પિત ટીમ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી હતી.

શ્રીમતી પ્રતિભા જૈને હોસ્પિટલના ધ્યેય પ્રેરિત કામની સરાહના કરી હતી અને વંચિત સમુદાયોમાં વહેલું નિદાન અને તેમની સુધી વ્યાપક પહોંચના મહત્ત્વને આલેખિત કર્યું હતું. બાળકમાં દરેક સ્વસ્થ હૃદયના ધબકાર ભવિષ્યનું વચન છે, એમ તેમણે જણાવીને ટીમના અનુકંપાભર્યા અભિગમની સરાહના કરી હતી.

 શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે નારાયણા હોસ્પિટલ દ્વારા દર્શાવવામાં આવેલી તબીબી ઉત્કૃષ્ટતાની સરાહના કરી હતી અને જરૂરિયાત ધરાવતા દરેક બાળકને આધુનિક કાર્ડિયાક સંભાળને સમયસર પહોંચ મળે તે માટે વધુ સમુદાય ભાગીદારીઓ માટે હાકલ કરી હતી.

ડો. ઉન્મેશ ઉપાધ્યાયે તેમના સંબોધનમાં વિશિષ્ટ ક્ષેત્ર તરીકે પેડિયાટ્રિક કાર્ડિયોલોજીના વધતા મહત્ત્વ પર ભાર આપ્યો હતો. નારાયણા હોસ્પિટલને ફક્ત ચિકિત્સાકીય સફળતા નહીં પરંતુ દરેક કેસને સહાનુભૂતિથી હાથ ધરાય છે અને દરેક પરિવારનો આદર કરાય છે.

ડો. અતુલ મસલેકર અને દિવ્યેશ સાદડીવાલાએ હોસ્પિટલમાં સફળતાથી ઉપચાર કરવામાં આવેલી દુર્લભ પેડિયાટ્રિક કાર્ડિયાક સ્થિતિના અમુક કિસ્સા પ્રસ્તુત કર્યા હતા, જે પેડિયાટ્રિક હાર્ટ કેર માટે ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર તરીકે તેનું સ્થાન વધુ દ્રઢ બનાવે છે.

વળી, આ સમયે વાલીઓએ પણ તેમના બાળકો પર ઉપચારની વાતો કરી ત્યારે વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું. તેમની સ્થિતિસ્થાપકતા, શ્રદ્ધા અને રોગહરતાની વાર્તાઓથી સૌ ભાવવિભોર બની ગયા હતા. નિષ્ણાત તબીબી સંભાળ સંપૂર્ણ પરિવારો પર કેટલો મજબૂત પ્રભાવ પાડી શકે તેની આ યાદગીરી બની રહી.

બાળકો માટે વાતાવરણ હળવું બનાવવા મેજિક શો, કાર્ટૂન પાત્રોના પ્રવેશ સહિત મોજમસ્તીભરી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું, જેનાથી આ બાળકોના ચહેરા પર સ્મિત ખીલીને વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. કાર્યક્રમના અંતે એક સ્પષ્ટ સંદેશ એ મુકાયો હતો કે નારાયણા હોસ્પિટલ, અમદાવાદ ફક્ત નાનાં હૃદયોને સાજાં કરતી નથી, પરંતુ તે સાહસ, અનુકંપા અને આશાની વાર્તાઓ નિર્માણ કરે છે.

નારાયણા હોસ્પિટલ, રખિયાલ, અમદાવાદ વિશે

નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ટર્શરી કેર હોસ્પિટલ છે, જે પેડિયાટ્રિક અને એડલ્ટ કાર્ડિયાક, ન્યુરોલોજી, ઓર્થોપેડિક્સ, નેફ્રોલોજી અને યુરોલોજી, ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, જનરલ મેડિસીન, ગેસ્ટ્રોએન્ટરોલોજી, ઈએનટી, પેડિયાટ્રિક્સ અને પલ્મોનરી સેવાઓ પૂરી પાડે છે. સંપૂર્ણ સુસજ્જ કાર્ડિયાક સાયન્સીસ વિભાગ ડિજિટલ કેથ લેબ, કોરોનરી કેર યુનિટ (સીસીયુ) અને ઈન્ટેન્સિવ થેરપી યુનિટ (આઈટીયુ) ધરાવે છે.

ન્યુરોસાયન્સીસ વિભાગ મિનિમલી ઈન્વેઝિવ સ્પાઈન સર્જરી અને ડિસ્ક પ્રોલેપ્સ, સ્પાઈન ફ્રેક્ચર્સ, સ્પિનલ ટ્યુમર્સ અને આવી જ બીમારીઓ જેવી સ્થિતિઓ માટે માઈક્રોસર્જરી અને એપિલેપ્સી માટે ઉપચાર આપે છે. મુખ્ય ઓર્થોપેડિક્સ પ્રક્રિયામાં ઘૂંટણ, નિતંબ અને ખભા માટે રિપ્લેસમેન્ટ સર્જરીઓનો સમાવેશ થાય છે.

એનએચ અમદાવાદ ગુજરાત અને ઘણા બધા અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોના દર્દીઓ માટે હોસ્પિટલ વિશ્વસનીય હેલ્થકેર સેવાઓની પ્રદાતા છે.

નારાયણા હેલ્થ વિશે

નારાયણા હેલ્થની સ્થાપના ડો. દેવી શેટ્ટીએ કરી હતી અને તેનું વડુંમથક બેન્ગલુરુમાં છે. તે વૈશ્વિક હેલ્થકેર ક્ષેત્રે અવ્વલ હાજરી ધરાવે છે. ભારતમાં સૌથી વિશાળ હેલ્થકેર પ્રદાતામાંથી એક નારાયણા હેલ્થ ભારત અને કેરિબિયનમાં વ્યાપક શ્રેણીની પ્રાઈમરી, સેકંડરી અને સુપર- સ્પેશિયાલ્ટી ટર્શરી કેર સુવિધાઓ ચલાવે છે. ગ્રુપનું વિવિધ મેડિકલ ડોમેન્સમાં સેન્ટર્સ ઓફ એક્સલન્સમાં 3868 કુશળ ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટો સહિત 18,822 સમર્પિત પ્રોફેશનલોની ટીમ છે અને સતત દર્દીની સુખાકારી અને ચિકિત્સકીય ઉત્કૃષ્ટતા પર કેન્દ્રિત છે, જે હેલ્થકેર ઉદ્યોગમાં આશાના કિરણ તરીકે તેની આગવી ઓળખ ધરાવે છે.

નારાયણા વન હેલ્થ (એનએચ ઈન્ટીગ્રેટેડ કેર) અને નારાયણા હેલ્થ ઈન્શ્યુરન્સ નારાયણા હેલ્થની સબસિડિયરીઓ છે.

વધુ માહિતી માટે વિઝિટ કરોઃ https://www.narayanaone.health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *