કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામથી નજીક પર્યટન સ્થળ પર ખીણમાં મોટા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ભારતીય પ્રવાસીના મૃત્યુ થયા. મૃતક ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ આજ રોજ ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા ઘી કાંટા એરિયામાં અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો.
ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સભ્યો તેમજ ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલ તમામ વ્યાપારી અને માર્કેટના તમામ સભ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ સભા પછી માનવ સાંકળ નું આયોજન કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના હાથ વધુ મજબૂત કરવા અને સરકાર દ્વારા લેવાતા તમામ નિર્ણયોમાં વ્યાપારીઓ એ પોતાની સંમતિ આપી હતી.
આ અવસરે ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું હતું કે,“આવું નિર્દોષ લોકોને નિશાન બનાવતો આક્રોશજનક હુમલો સમગ્ર દેશ માટે દુઃખદ છે. આપણે બધા એકતા અને સંકલ્પ સાથે આતંકવાદ સામે લડવાનો સંદેશો આપીએ છીએ. શહીદોની શાંતિ માટે અને દેશની સુરક્ષા માટે અમારા વ્યાપારી પરિવાર તરફથી સંપૂર્ણ સમર્થન છે.”
You may also like
-
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન
-
‘કુકા’: મનોરંજન અને ગ્લેમરનો એક ફ્રેશ ગુજરાતી ડોઝ
-
અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે
-
અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું
-
‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ 2026’ (GMA) માં સનહાર્ટ સિરામિકના ગોવિંદ વરમોરાનું સન્માન કરાયું
