આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અર્જુન મિશ્રા દ્વારા ગાંધીજીના સ્મરણાર્થે તેઓને વંદન કરી સ્મરણાંજલિ અર્પણ કરી. દિલ્લી ખાતે કોંગ્રેસ મુખ્યાલયમાં જોડાયા બાદ તેઓના પ્રથમ આગમન અમદાવાદ થયું જેમાં તેઓ એમની ટીમ સાથે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા.

અર્જુન મિશ્રા છેલ્લા એક મહિનાથી દિલ્લીમાં હતા અને તેઓ યુવા હલ્લા બોલના સંસ્થાપક અનુપમ સાથે દિલ્લી કોંગ્રેસ ભવનમાં રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કે સી વેણુગોપાલ, રાષ્ટ્રીય મીડિયા ચેરમેન શ્રી પવન ખેરા અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા.
ગત સપ્ટેમ્બરમાં તેઓ દેશના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી જોડે પણ દિલ્લી ખાતે મુલાકાત કરી ચૂક્યા છે અને યુવાનોને ગાંધીના રસ્તે રાજકારણમાં લાવવા કટિબદ્ધ થયા છે. બેરોજગારી પર સતત લડત આપતા સમૂહની રીતે ઓળખાતા યુવા હલ્લા બોલના રાષ્ટ્રીય કમિટીમાં અર્જુન મિશ્રા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે ત્યારે સાંસદમાં રાહુલ ગાંધીએ ગુજરાત ચુંટણી માટે હુંકાર ભરેલ છે તો આ જોવું રહ્યું કે ગુજરાતમાં યુવાનો કોંગ્રેસ તરફી આકર્ષાય છે કે કેમ.
અર્જુન મિશ્રા એ વાત કરતાં જણાવ્યું હતું કે,:- “અનુપમ દેશ વ્યાપી યુવા ખેડૂત અને વિવિધ આંદોલનો માટે વર્ષોથી લડત આપી રહ્યાં છે અને હું પણ એ ટીમમાં વર્ષોથી કામ કરી રહ્યો છુ, પરંતુ હવે જરૂર છે પરિવર્તનની. અમારો લક્ષ્યાંક હતો પઢાઈ કમાઈ અને દવાઈનો જેના માટે અત્યારે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કોંગ્રેસ પાર્ટી છે જેથી અમે સૌ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા અને હવે પાર્ટી જે જવાબદારી આપશે એ પ્રમાણે કામ કરવા કટિબદ્ધ છીએ.”
You may also like
-
જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 24 જુલાઈએ કર્ણાવતીમાં અભિનંદનચાતુર્માસ મહોત્સવમાં મળશે પાવન સાન્નિધ્ય
-
ધર્મથી સમાજ પરિવર્તન: પૂજ્ય વિરલબાપુએ જાહેર કર્યો અંતિમધામ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ
-
ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન
-
જાતીય શિક્ષણ અંગેના મૌનને તોડવા ‘ઝેડ કેડ ગ્રુપ’ પ્રેરિત વિશેષ પેનલ ડિસ્કશન અને ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત પુસ્તક ‘નો યોરસેલ્ફ’ (Know Yourself) નું ભવ્ય વિમોચન
-
ગુજરાતમાં ‘નવચક્ર યોજના’ નો ભવ્ય પ્રારંભ: શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને મળશે નવી ગતિ
