અમદાવાદમાં નારાયણા હોસ્પિટલ દ્વારા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત સાથે ગુજરાતને મળ્યું પોતાનું પ્રિસિઝન કેન્સર કેર

અમદાવાદ, શનિવાર, ૩૦ મે ૨૦૨૬: નારાયણા હોસ્પિટલ, અમદાવાદ એ આજે પોતાના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત કરીને ગુજરાતમાં કેન્સરની સારવારની સુલભતાને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સુવિધાનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું, જેઓ મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર સમગ્ર વિસ્તારના દર્દીઓ માટે અદ્યતન, સચોટ અને વધુ ઝડપી રેડિયેશન થેરાપી ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી ગંભીર કેન્સરની સારવાર માટે દર્દીઓએ પોતાના ઘરથી દૂર પ્રવાસ કરવાની જરૂર ન રહે. આ કેન્દ્રના હાર્દ સમાન હેલ્સિયન‘ (Halcyon) રેડિયેશન થેરાપી સિસ્ટમ છે, જે ખાસ કરીને ઝડપ અને સચોટતા માટે બનાવવામાં આવેલી ટેક્નોલોજી છે. તે આસપાસની તંદુરસ્ત પેશીઓને ન્યૂનતમ નુકસાન પહોંચાડીને ઉચ્ચ સચોટતા સાથે ઇમેજ-ગાઇડેડ સારવાર પ્રદાન કરે છે, જે પરિણામો અને દર્દીના એકંદર અનુભવ બંનેમાં સુધારો કરે છે.

આ લોન્ચિંગ દરમિયાન નારાયણા હેલ્થના ફાઉન્ડર અને ચેરમેન ડૉ. દેવી શેટ્ટીએ જણાવ્યું હતું કે, “કેન્સરનો બોજ વધી રહ્યો છે, અને વિલંબ માટેનો ગાળો દરરોજ ઘટી રહ્યો છે. વહેલી તકે અને સચોટ હસ્તક્ષેપ એ રિકવરી અને અફર સ્ટેજ વચ્ચેનો તફાવત સાબિત થઈ શકે છે, અને દરેક દર્દી પોતાના ઘરની નજીક જ આવી સારવાર મેળવવા માટે હકદાર છે. આ કેન્દ્ર ગુજરાતના લોકો માટેની અમારી પ્રતિબદ્ધતા છે કે તેઓને જરૂરી સારવાર માટે રાહ જોવી નહીં પડે અથવા પ્રવાસ કરવો નહીં પડે.” હેલ્સિયન સિસ્ટમ આ પ્રતિબદ્ધતાને ક્લિનિકલ રીતે પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે દરેક સેશન પહેલાં ટ્યુમરને મિલીમીટર જેટલી સચોટતાથી ટાર્ગેટ કરવા માટે દૈનિક સીટી (CT) ઇમેજિંગનો ઉપયોગ કરે છે. ઇન્ટેન્સિટી-મોડ્યુલેટેડ રેડિયેશન થેરાપી (IMRT), વોલ્યુમેટ્રિક મોડ્યુલેટેડ આર્ક થેરાપી (VMAT), અને સ્ટીરિયોટેક્ટિક રેડિયોસર્જરી જેવી તકનીકો ટ્યુમરના આકાર મુજબ ચોક્કસ અને ઉચ્ચ ડોઝ પહોંચાડવામાં સક્ષમ બનાવે છે, જેનાથી કેટલાક સેશન્સ માત્ર બે મિનિટ જેટલા ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે, અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આસપાસની તંદુરસ્ત પેશીઓ સુરક્ષિત રહે છે.

નારાયણા હોસ્પિટલ, અમદાવાદના ફેસિલિટી ડિરેક્ટર શ્રી હેમંત ભટનાગરે જણાવ્યું હતું કે, “આ કેન્દ્ર અમારી એ દ્રઢ માન્યતાને દર્શાવે છે કે વિશ્વસ્તરીય કેન્સર કેર દર્દીઓ જ્યાં રહે છે ત્યાં જ ઉપલબ્ધ હોવી જોઈએ, નહીં કે ઘરથી દૂર. હેલ્સિયન સિસ્ટમ સાથે, અમે વધુ સચોટતા, ટૂંકા સારવાર સમય અને નોંધપાત્ર રીતે વધુ સારા સંભાળના અનુભવ સાથે મોટી સંખ્યામાં દર્દીઓની સેવા કરવા માટે સજ્જ છીએ.” નારાયણા હોસ્પિટલ, અમદાવાદના કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉ. તસ્નીમ નલવાલાએ ઉમેર્યું હતું કે, “હેલ્સિયન અમને માત્ર થોડી મિનિટોમાં સચોટ, ઇમેજ-ગાઇડેડ સારવાર આપવાની મંજૂરી આપે છે. ટૂંકો સારવાર સમય દર્દીના

અનુભવમાં અર્થપૂર્ણ તફાવત લાવે છે, ખાસ કરીને તેવા દર્દીઓ માટે જેમને લાંબા સેશન્સ મુશ્કેલ લાગતા હોય છે. આ ટેક્નોલોજી આપણને ઉચ્ચતમ ક્લિનિકલ ધોરણો જાળવી રાખવાની સાથે સાથે સારવારને સાચા અર્થમાં વધુ સુલભ બનાવવામાં મદદ કરે છે.”

રેડિયેશન થેરાપી એ કેન્સરની સારવાર માટેના સૌથી અસરકારક સાધનોમાંનું એક છે. કેન્સરના કોષોનો નાશ કરવા અને ટ્યુમર (ગાંઠ)ને સંકોચવા માટે લક્ષિત હાઇ-એનર્જી બીમનો ઉપયોગ કરીને, તે સારવારના વિવિધ તબક્કાઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે: શરૂઆતના કેસોમાં સંપૂર્ણ રોગમુક્તિના હેતુથી લઈને એડવાન્સ સ્ટેજમાં રોગના ફેલાવાને ધીમો કરવા અને લક્ષણોના સંચાલન સુધી તે ઉપયોગી નીવડે છે. તેમ છતાં, આ સારવારની ઉપલબ્ધતા હજુ પણ ઘણી મર્યાદિત છે. ભારતમાં હાલમાં માત્ર ૫૫૦ જેટલા જ કાર્યરત રેડિયોથેરાપી મશીનો છે, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની દર ૧૦ લાખની વસ્તી સામે એક મશીનની ભલામણ કરતા ઘણા ઓછા છે. આ બોજ ગુજરાતમાં પણ એટલો જ ગંભીર છે, જ્યાં દર વર્ષે કેન્સરના ૭૦,૦૦૦ થી ૭૩,૦૦૦ નવા કેસ નોંધાય છે, જે રાષ્ટ્રીય સ્તરે નિદાન થતા ૧.૪૧ થી ૧.૪૬ મિલિયન (૧૪.૧ થી ૧૪.૬ લાખ) કેસનો એક ભાગ છે. આમાંથી લગભગ ૪૦% કેસ એડવાન્સ (ગંભીર) સ્ટેજ પર શોધી શકાય છે, જ્યાં સારવારની ઝડપી ઉપલબ્ધતા એ માત્ર સગવડ નથી પરંતુ તબીબી અનિવાર્યતા બની જાય છે. આ કેન્દ્ર શરૂ કરીને નારાયણા હોસ્પિટલ અમદાવાદ આ ક્ષેત્ર માટેની આ ઉણપને સીધી રીતે દૂર કરે છે.

આ લોન્ચ સાથે, નારાયણા હોસ્પિટલ, અમદાવાદની ઓન્કોલોજી સેવાઓ હવે હાલની શ્રેષ્ઠ મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને હવે રેડિયેશન ઓન્કોલોજી સાથે સંપૂર્ણ બની ગઈ છે, જે એક જ છત નીચે સંકલિત કેન્સર કેર સક્ષમ બનાવે છે. અમદાવાદ અને પડોશી જિલ્લાના રહેવાસીઓ માટે, આનો અર્થ એ છે કે આ પ્રદેશ છોડ્યા વિના જ કેન્સરની સારવારના સંપૂર્ણ સ્પેક્ટ્રમ (તમામ સુવિધાઓ) સુધી તેમની પહોંચ બનશે, જે એક એવું પગલું છે જે નારાયણા હેલ્થના વ્યાપક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે કે ભૌગોલિક સ્થિતિ ક્યારેય દર્દીને મળતી સારવારની ગુણવત્તા નક્કી કરી શકે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *