અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ સ્વરોજગાર યોજના કાર્યક્રમ હેઠળ સંસ્થા એ જરૂરિયાતમંદ ખાસ કરી ને મહિલા તેમજ દિવ્યાંગો માટે રોજગારી મળી રહે તેવું આયોજન કર્યું છે.
અવ્વલ સ્વરોજગાર યોજના ના પેહલા કાર્યક્રમ મુજબ નવેમ્બર 15 તારીખ ની આસપાસ 25 ઈ-રીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતમંદ આ ઈ-રીક્ષા લેવા માટે અરજી કરી શકે છે.આ યોજનાની માહિતી મેળવવા માટે તમે અવ્વલ ફાઉન્ડેશન ના કોઈ પણ અધિકારીક વ્યક્તિનો સંપર્ક કરી શકો છો.
ઈ-રીક્ષા મેળવવા માટે ની અરજી ના ફોર્મ પણ તમે જાતે આધાર કાર્ડ ની કે ડ્રાઇવિંગ લાઇસન્સ ની કોપી આપી ને નીચેના એડ્રેસ પરથી લઇ શકશો.
અવ્વલ કન્યા ગૃહ
ગણેશ પ્લાઝા,
સુંદરવન ફ્લેટ ની બાજુમાં,
બલોલ નગર બ્રિજ ની નીચે,
રાણીપ, અમદાવાદ – 382480
-> ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 30 રહેશે.
-> ઉમેદવારની પસંદગી નો સંપૂર્ણ અધિકાર સંસ્થા નો રહેશે.
-> આ ફોર્મ માટે કે અન્ય કોઈ પણ વસ્તુ માટે સંસ્થા દ્વારા કોઈ પૈસા લેવામાં આવતા નથી.
આ મેસેજ ને વધારે માં વધારે લોકો સુધી પહોંચાડો કે જેથી કોઈને તમે રોજગાર અપાવીને એક રીતે મદદગાર બની શકો
You may also like
-
જાતીય શિક્ષણ અંગેના મૌનને તોડવા ‘ઝેડ કેડ ગ્રુપ’ પ્રેરિત વિશેષ પેનલ ડિસ્કશન અને ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત પુસ્તક ‘નો યોરસેલ્ફ’ (Know Yourself) નું ભવ્ય વિમોચન
-
ગુજરાતમાં ‘નવચક્ર યોજના’ નો ભવ્ય પ્રારંભ: શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને મળશે નવી ગતિ
-
વિશ્વ યોગ દિવસ અંતર્ગત ‘યોગવાલા’ દ્વારા વિવિધ સંસ્થાઓમાં વિશેષ યોગ શિબિરનું આયોજન
-
અમદાવાદમાં બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો”નું ભવ્ય ઉદ્ઘાટન
-
બુક લોન્ચ: અમદાવાદમાં દીક્ષા પટેલના પુસ્તક ‘ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ’ (Twisted Whispers) નું વિમોચન કરાયું
