અમદાવાદ સ્થિત ખત્રીઓની કુલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞ પવિત્ર વિધિ
રાણીપ વિસ્તારમાં આવેલ રાણીપ કોમ્યુનિટી હોલ ખાતે શ્રી પરેશભાઈ પરસોત્તમદાસ ખત્રી પરિવાર દ્વારા અમદાવાદ સ્થિત ખત્રીઓની કૂલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞોપવિતોત્સવ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ગણેશ સ્થાપન, મંડપ મૂહુર્ત, ગ્રહશાંતિ, યજ્ઞોપવિત સંસ્કાર વિધિ, ફરાળ બડવો (કાશીયાત્રા) વગેરે વિધિનું આયોજન કરાયું હતું.
દરેક સફળ વ્યક્તિના જીવનમાં સમાજનું પ્રદાન હંમેશા રહેલું હોય છે. સમાજના આ ઋણ ને ચૂકવવા માટે જ શ્રી પરેશભાઈ પરસોતમદાસ ખત્રીએ પોતાના સમાજની સાત પેટા જ્ઞાતિઓના સો બટુકોની એક સાથે કોઈના મૂલ્ય યજ્ઞો પવિત કરવાની જવાબદારી લીધી હતી. જ્ઞાતિજનો તરફથી આ બટુકોને આશરે 70 જેટલી ભેટ આપવામાં આવી હતી.



સતત મહેનત, ઈમાનદારી, અને હંમેશા કંઈક નવું કરવાના વિચાર સાથે જીવનારા પરેશભાઈ એક ખૂબ સાહસિક અને સફળ વ્યક્તિ છે. છેલ્લા ઘણા મહિનાઓની એમને રાત દિવસની મહેનતથી આ આખું પ્રોગ્રામ ખૂબ સફળ રીતે પાર પાડ્યો.
બટુકો, વાલીઓ, અને જ્ઞાતિજનોના તેમને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે, જેથી ભવિષ્યમાં પણ આવા ધાર્મિક પ્રસંગો કરતા રહેશે.
You may also like
-
જન્માષ્ટમી પર દિવ્ય ઊર્જા અને સમૃદ્ધિની સફર: ટેરોટ રીડર પુનિતજી લુલ્લા
-
ગેટ સેટ ગો ફિલ્મની ચિરંજીવી ટીમ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે, મુખ્યમંત્રીએ ફિલ્મની ટીમ જે રાહતનું કાર્ય કરી રહી છે તેના માટે બિરદાવ્યા
-
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું
-
અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓના લાભાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન
-
અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અમદાવાદ થલતેજ ખાતે “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” નું આયોજન કરાયું
