ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરીયા જ્યારે પડદા પર આવે ત્યારે મનોરંજનની ગેરંટી પાકી હોય છે, અને ‘જય કનૈયાલાલ કી’ આ વાતને ફરી એકવાર સાબિત કરે છે. આજે રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર એક મૂવી નથી, પણ દરેક મધ્યમવર્ગીય પરિવારની પોતાની વાર્તા લાગે છે.
ફિલ્મની વાર્તા એક નિવૃત્ત વ્યક્તિ (સિદ્ધાર્થ રાંદેરીયા) ની આસપાસ ફરે છે, જેમના જીવનમાં નિવૃત્તિ પછી એક નવો વળાંક આવે છે. ટ્રેલરમાં જોયા મુજબ, ગામની બેંકમાં થયેલી ચોરી અને તે બાદ ઉભી થયેલી પરિસ્થિતિઓને ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે. સિદ્ધાર્થ રાંદેરીયા હંમેશની જેમ તેમનો અભિનય અને ડાયલોગ ડિલિવરી લાજવાબ છે. એક કડક સિદ્ધાંતવાદી છતાં પ્રેમાળ પિતા અને પતિના પાત્રમાં તેઓ જીવ રેડી દે છે. હિતુ કનોડિયા, વૈશાલી ઠક્કર અને અનેરી વજાણીએ પોતાના પાત્રોને પૂરો ન્યાય આપ્યો છે. દરેક પાત્ર પરિવારના એક અભિન્ન અંગ જેવું લાગે છે.
દિગ્દર્શક ધર્મેશ એસ. મહેતાએ હળવી પળો અને ગંભીર પારિવારિક મુદ્દાઓ વચ્ચે જે સંતુલન જાળવ્યું છે તે પ્રશંસનીય છે. ફિલ્મમાં ‘જય કનૈયાલાલ કી’ ના નાદ સાથે જે ઉર્જા જોવા મળે છે, તે દર્શકોને જકડી રાખે છે.
શા માટે જોવી જોઈએ?-
આ એવી ફિલ્મ છે જે તમે તમારા આખા પરિવાર સાથે બેસીને જોઈ શકો છો. સિદ્ધાર્થ રાંદેરીયાના વન-લાઇનર્સ અને પારિવારિક નોક-ઝોક તમને હસાવવામાં સફળ રહેશે. ફિલ્મ શીખવે છે કે દુનિયાનો કોઈ પણ સિદ્ધાંત પરિવારથી ઉપર નથી
જો તમે વીકેન્ડમાં કંઈક એવું જોવા માંગતા હોવ જે તમને હસાવે પણ ખરું અને આંખમાં હર્ષના આંસુ પણ લાવે, તો ‘જય કનૈયાલાલ કી’ ચોક્કસ જોવી જોઈએ. આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવું નજરાણું છે.
રેટિંગ: ⭐⭐⭐⭐ (4/5)

You may also like
-
ગુજરાતી સિનેમાની બ્લોકબસ્ટર પારિવારિક ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ 11મી જૂનથી ‘JOJO એપ’ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે
-
સૂર, સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર: 5 જૂને સિનેમાઘરોમાં ગૂંજશે ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ની ધૂન
-
જેકી શ્રોફની ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’એ ઇતિહાસ રચ્યો, 10,000 છોડથી બનેલા ભવ્ય ઈન્સ્ટોલેશનને મળ્યો ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ
-
શ્રીકૃષ્ણ ભક્તિની વૈશ્વિક લહેર: “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” ની સ્ટારકાસ્ટ રંગીલા શહેર રાજકોટની મહેમાન બની
-
ફિલ્મ રિવ્યુ: ‘ધરપકડ’
