અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ સ્વરોજગાર યોજના કાર્યક્રમ હેઠળ સંસ્થા એ જરૂરિયાતમંદ ખાસ કરી ને મહિલા તેમજ દિવ્યાંગો માટે રોજગારી મળી રહે તેવું આયોજન કર્યું છે.
અવ્વલ સ્વરોજગાર યોજના ના પેહલા કાર્યક્રમ મુજબ નવેમ્બર 15 તારીખ ની આસપાસ 25 ઈ-રીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતમંદ આ ઈ-રીક્ષા લેવા માટે અરજી કરી શકે છે.આ યોજનાની માહિતી મેળવવા માટે તમે અવ્વલ ફાઉન્ડેશન ના કોઈ પણ અધિકારીક વ્યક્તિનો સંપર્ક કરી શકો છો.
ઈ-રીક્ષા મેળવવા માટે ની અરજી ના ફોર્મ પણ તમે જાતે આધાર કાર્ડ ની કે ડ્રાઇવિંગ લાઇસન્સ ની કોપી આપી ને નીચેના એડ્રેસ પરથી લઇ શકશો.
અવ્વલ કન્યા ગૃહ
ગણેશ પ્લાઝા,
સુંદરવન ફ્લેટ ની બાજુમાં,
બલોલ નગર બ્રિજ ની નીચે,
રાણીપ, અમદાવાદ – 382480
-> ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 30 રહેશે.
-> ઉમેદવારની પસંદગી નો સંપૂર્ણ અધિકાર સંસ્થા નો રહેશે.
-> આ ફોર્મ માટે કે અન્ય કોઈ પણ વસ્તુ માટે સંસ્થા દ્વારા કોઈ પૈસા લેવામાં આવતા નથી.
આ મેસેજ ને વધારે માં વધારે લોકો સુધી પહોંચાડો કે જેથી કોઈને તમે રોજગાર અપાવીને એક રીતે મદદગાર બની શકો
You may also like
-
અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અમદાવાદ થલતેજ ખાતે “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” નું આયોજન કરાયું
-
અમદાવાદમાં ગુંજશે ભક્તિના સૂર: હાર્દિક દવે અને પ્રફુલ દવે પ્રસ્તુત કરે છે “શ્યામ – ધ ક્રિષ્ના કોન્સર્ટ”
-
અમદાવાદમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) દ્વારા ‘જૂનાગઢ ચેપ્ટર’ નો ભવ્ય શુભારંભ: વેપાર જગતમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે
-
અમદાવાદમાં કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ: GCS હોસ્પિટલ ખાતે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને PET સ્કેન સેન્ટરનો પ્રારંભ
-
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન
