રાજકોટ : પુરુષો અને સ્ત્રીઓના શરીર એકબીજાથી તદ્દન અલગ છે. આ ઉપરાંત, તેમના હોર્મોન્સ પણ તદ્દન અલગ છે. તેથી જ કેટલીક એવી બીમારીઓ છે જે માત્ર મહિલાઓને જ થાય છે. તે જ સમયે, કેટલીક બીમારીઓ છે જેનાથી ફક્ત પુરુષો જ પીડાય છે. આ રોગોમાંથી એક પ્રાયપિઝમ છે. આ એક ગંભીર રોગ છે જે પુરુષોને અસર કરે છે, જેમાં પુરૂષોને લિંગમાં સતત અથવા વચ્ચે-વચ્ચે તીવ્ર પીડાનો સામનો કરવો પડે છે. નિષ્ણાંતો માને છે કે જ્યારે પુરૂષના લિંગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી, તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એક 50 વર્ષીય પુરુષને ચાર કલાકથી વધુ સમયથી ઉત્થાન થઇ રહ્યું હતું, પરંતુ તેમણે ડૉક્ટરનો સંપર્ક કર્યો ન હતો, જેના કારણે સમસ્યા વધુ વકરી હતી. તેઓ રાજકોટની ખ્યાતનામ વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે આવ્યા હતા અને ડૉ. નયન ટીંબડીયા (કન્સલ્ટન્ટ- યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન)નો સંપર્ક સાધ્યો હતો.
ડૉ. નયન ટીંબડીયા (કન્સલ્ટન્ટ- યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ જણાવ્યું હતું એકે, “પ્રાયપિઝમ એ એક દુર્લભ સ્થિતિ છે જ્યાં ફસાયેલા લોહીને કારણે લિંગ લાંબા સમય સુધી ટટ્ટાર રહે છે. તે 100,000 માંથી લગભગ 1 પુરૂષને થાય છે અને ગંભીર સમસ્યાઓ ટાળવા માટે ઝડપી સારવારની જરૂર છે.જ્યારે પાસે આવ્યા ત્યારે અમે અલ્ટ્રાસાઉન્ડ (યુએસજી) અને વિશેષ ઇન્જેક્શનનો ઉપયોગ કરીને તેમની મદદ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમનું ઇરેક્શન 72 કલાકથી વધુ સમયથી થતું હતું તેથી આ સારવારથી કોઈ ફેર ના પડ્યો. પેનાઇલ ઇમ્પ્લાન્ટ માટે તેમને સર્જરીની જરૂર હતી. તેમની આ પ્રકારની પ્રથમ સર્જરી હતી. પ્રિયાપિઝમ એ દુર્લભ છે, અને તેના કારણે પેનાઇલ ઇમ્પ્લાન્ટની જરૂર છે, ખાસ કરીને ભારતમાં તો ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.”
“દર્દીની સર્જરી યોગ્ય રીતે પૂર્ણ થઈ અને હવે તેઓ સ્વસ્થ થઈ રહ્યાં છે. આ કેસ એ બાબતનું ખાસ નોંધ છે કે જો કોઈ વ્યક્તિને પ્રાયપિઝમ હોય તો ઝડપથી ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ મહત્વપૂર્ણ છે.સર્જરી કરાવાની જરૂર ન પડે તે માટે તમારે 12 કલાકની અંદર મદદ મેળવવી જોઈએ. નિયમિત પેઇનકિલર્સથી તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તે વસ્તુઓને વધુ ખરાબ કરી શકે છે.”- વધુમાં તેમણે જણાવ્યું.
જો તમને અથવા તમે જાણતા હોવ તેવા વ્યક્તિને ચાર કલાકથી વધુ સમય સુધી ઇરેક્શન થતું હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. નિયમિત પેઇનકિલર્સ સાથે સમય બગાડવો જોઈએ નહીં. વહેલી મદદ મેળવવાથી સર્જરીની જરૂરિયાતને અટકાવી શકાય છે અને વધુ સારા સ્વાસ્થ્યની ખાતરી થઈ શકે છે.
વોકહાર્ટ હોસ્પિટલ્સ હંમેશાથી જ દર્દીની ગંભીર સમસ્યાને ઉકેલવામાં અને તેમને સ્વસ્થ જીવશૈલી પ્રદાન કરવામાં અગ્રેસર રહી છે. ભારતમાં તાકીદે જ જોવા મળતી આ પ્રકારની સમસ્યાનું ડૉ. નયન ટીંબડીયાએ પોતાની સૂઝબૂઝ સાથે નિવારણ કર્યું અને દર્દીને સ્વસ્થ સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.
You may also like
-
ફોર્ટિસ મુલુંડમાં રક્ષાબંધન પર ભાઈએ બહેનને આપ્યું જીવનદાયી લિવરનું દાન – નવી જીંદગીની ભેટ!
-
ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે તે જણાવે છે
-
સર્વિયર ઈન્ડિયા ભારતમાં રજૂ કરે છે ‘ઈવોસાઈડેનિબ’ (ટિબસોવો®), વિરલ આઈડીએચ1- મ્યુટેટેડ એએમએલ અને કોલેંગિયોકારસિનોમા માટે ઑન્કોલૉજીમાં પોતાની શ્રેણીમાં પ્રથમ ટાર્ગેટેડ થૅરેપી
-
કન્ઝ્યૂમર ચોઇસ સેન્ટર તરફથી WHOના સંચાલન અને કામગીરીમાં મોટા ફેરફારની માંગ, સભ્યદેશોની ફરજિયાત ફાળવણી વધારવાની મંજૂરી વચ્ચે આવકાર