અમદાવાદ સ્થિત ખત્રીઓની કુલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞ પવિત્ર વિધિ
રાણીપ વિસ્તારમાં આવેલ રાણીપ કોમ્યુનિટી હોલ ખાતે શ્રી પરેશભાઈ પરસોત્તમદાસ ખત્રી પરિવાર દ્વારા અમદાવાદ સ્થિત ખત્રીઓની કૂલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞોપવિતોત્સવ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ગણેશ સ્થાપન, મંડપ મૂહુર્ત, ગ્રહશાંતિ, યજ્ઞોપવિત સંસ્કાર વિધિ, ફરાળ બડવો (કાશીયાત્રા) વગેરે વિધિનું આયોજન કરાયું હતું.
દરેક સફળ વ્યક્તિના જીવનમાં સમાજનું પ્રદાન હંમેશા રહેલું હોય છે. સમાજના આ ઋણ ને ચૂકવવા માટે જ શ્રી પરેશભાઈ પરસોતમદાસ ખત્રીએ પોતાના સમાજની સાત પેટા જ્ઞાતિઓના સો બટુકોની એક સાથે કોઈના મૂલ્ય યજ્ઞો પવિત કરવાની જવાબદારી લીધી હતી. જ્ઞાતિજનો તરફથી આ બટુકોને આશરે 70 જેટલી ભેટ આપવામાં આવી હતી.



સતત મહેનત, ઈમાનદારી, અને હંમેશા કંઈક નવું કરવાના વિચાર સાથે જીવનારા પરેશભાઈ એક ખૂબ સાહસિક અને સફળ વ્યક્તિ છે. છેલ્લા ઘણા મહિનાઓની એમને રાત દિવસની મહેનતથી આ આખું પ્રોગ્રામ ખૂબ સફળ રીતે પાર પાડ્યો.
બટુકો, વાલીઓ, અને જ્ઞાતિજનોના તેમને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે, જેથી ભવિષ્યમાં પણ આવા ધાર્મિક પ્રસંગો કરતા રહેશે.
You may also like
-
અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અમદાવાદ થલતેજ ખાતે “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” નું આયોજન કરાયું
-
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીએસએફ જવાનો સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું આયોજન
-
‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવ
-
શ્રી વિસત મેલડી ધામ ખાતે 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ અને ભવ્ય લોકડાયરો પણ યોજાયો
-
જેતલપુર નજીક નાઝ ગામમાં ફ્રૂટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું
