અનલિમિટેડ ઉન્નતિ અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન “બિલ્ડ ઇન્ડિયા” મિશનને પ્રોત્સાહન આપવા માટે કાર્યો કરે છે. તેઓ બિઝનેસ ઓનર્સને પરિવર્તન માટે તાલીમ આપે છે. આ માટે બિઝનેસ કોચ શ્યામ તનેજાના નેતૃત્વમાં તેમણે વિવિધ પ્રોગ્રામ પર કામ કરી રહ્યાં છે જેમાં, ઈ-પેડ, આઈ- લીડ સંગત, વી લીડ, લી-મા વગેરેનો સમાવેશ થાય છે. આ માટે દર અઠવાડિયે વિવિધ સેશનનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરી ને સંસ્થાનો હેતુ એસએમઈ કંપનીને ગ્રોથ તરફ લઈ જવા અંગે છે.

ઈ- પેડ અંતર્ગત તેઓ મર્યાદા તોડવા, સ્વતંત્ર રીતે વિચારવા અને ભારતના અર્થતંત્રને આગળ ધપાવવા માટે SME માલિકોની સાથે ચાલવું વગેરે અંગે પ્રકાશ પાડે છે. આઈ- લીડ સંગત પ્રોગ્રામમાં બિઝનેસ લીડર્સનું ગ્રુપ હોય છે કે જેઓ ક્વોન્ટમ વૃદ્ધિ માટે વિચારો, ઉકેલો અને સફળતાનું આદાન-પ્રદાન કરવામાં એકઠા થાય છે. વી- લીડમાં ટીમોની ઉત્કૃષ્ટતાને પાવરહાઉસમાં બદલવામાં આવે છે જ્યાં શ્રેષ્ઠ, સર્વોત્તમ અને તેનાથી આગળ વધવા વિશે ચર્ચાઓ કરાય છે. લી- મા (લીડરશીપ ઈન માર્કેટિંગ)અંતર્ગત બાળકોને મર્યાદા વિના સ્વપ્ન જોવા, હેતુપૂર્વક કાર્ય કરવા અને ઉદ્દેશ્ય અને આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કરવા માટે ઉછેરવા વગેરે બાબતો અંગે શીખવવામાં આવે છે.
સપનાઓ જોઈને તેને સાકાર કરવા સુધીના દરેક પાસાઓમાં ઉન્નતિ સંસ્થા અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશનની બિલ્ડ ઇન્ડિયા મુવમેન્ટ વ્યવસાયિકોને પોતાના બિઝનેસને આગળ લાવવા માટે પ્રોત્સાહન આપે છે.
You may also like
-
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું
-
જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 24 જુલાઈએ કર્ણાવતીમાં અભિનંદનચાતુર્માસ મહોત્સવમાં મળશે પાવન સાન્નિધ્ય
-
ધર્મથી સમાજ પરિવર્તન: પૂજ્ય વિરલબાપુએ જાહેર કર્યો અંતિમધામ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ
-
ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન
-
જાતીય શિક્ષણ અંગેના મૌનને તોડવા ‘ઝેડ કેડ ગ્રુપ’ પ્રેરિત વિશેષ પેનલ ડિસ્કશન અને ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત પુસ્તક ‘નો યોરસેલ્ફ’ (Know Yourself) નું ભવ્ય વિમોચન
