અમદાવાદના શહેરના સી.જી. રોડ, મ્યુનિસિપલ માર્કેટની બાજુમાં આવેલી એક જાણીતી ટ્રાવેલ્સ એજન્સી સામે છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર આરોપોની ચર્ચા એ જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટ્રાવેલ એજન્સી દ્વારા મહિલાઓને બોલાવી ખવડાવી-પીવડાવી કોઈ ગુપ્ત રેકેટ ચલાવવામાં આવતું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સુત્રોથી મળતી માહિતી અનુસાર, આ એજન્સીના મારફતે વિદેશથી શંકાસ્પદ ફંડિંગ થતું હોવાની અને મની લોન્ડ્રિંગ જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વાત પણ માહિતી સામે આવી છે. એજન્સી સામે ભૂતકાળમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા પણ કાર્યવાહી થઈ ચૂકી હોવાની ચર્ચા શહેરના વેપારી વર્તુળોમાં ગરમાઈ રહી છે. જો કે, અમે આ બાબતે કોઈ પુષ્ટિ કરતાં નથી.
સૂત્રોના કહેવા મુજબ આ ટ્રાવેલ એજન્સીના કેટલાક મુખ્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ્સ અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અંગે પણ તપાસ ચાલી રહી છે, જો તપાસની દિશા વધુ ઊંડી જશે તો મોટું નાણાકીય કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.
હાલ તંત્ર દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે તપાસ એજન્સીઓ જરૂરી માહિતી એકત્ર કરી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે મોટું ખુલાસું થવાની આશા છે. જો આ તમામ આરોપો સાચા સાબિત થશે, તો આ કેસ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યસ્તરે ચર્ચાનો વિષય બની શકે છે.
You may also like
-
ફિંગરટિપ્સ દ્વારા “યુનિક વૃક્ષારોપણ” અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ
-
ડો. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે સંગીતમય શ્રદ્ધાંજલિ
-
અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી
-
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું
-
જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 24 જુલાઈએ કર્ણાવતીમાં અભિનંદનચાતુર્માસ મહોત્સવમાં મળશે પાવન સાન્નિધ્ય
